મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ


SHARE













મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ

મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે તેવામાં આ ગરબીની બાળાઓ દ્વારા આંગારા રાસ બાદ સળગતી ઇંઢોણી સાથેનો રાસ રજૂ કર્યો હતો. જે જોઈને સહુ કોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.

મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વર્ષ 1993થી ગરબી કરવામાં આવે છે અને ત્યાર રહતા પરિવારની દીકરીઓ આ ગરબીમાં ભાગ લેતી હોય છે અને નવરાત્રિ દરમ્યાન જુદાજુદા રાસ લોકોની સમક્ષ રજૂ કરતી હોય છે. આ ગરબીના આયોજકોને કહેવા મુજબ લોકો આજે ભલે મોર્ડન અને હાઈટેક બની ગયા હોય પરંતુ આ ગરબીમાં આજની તારીખે પણ ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવતા નથી અને મંત્ર પરંપરાગત રીતે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે. આ ગરબીમાં પાંચ વર્ષથી લઈને 22 વર્ષ સુધીની દિકરીઓ ભાગ લેતી હોય છે અને એક મહિના સુધી જુદાજુદા રાસની પ્રેક્ટિસ કરીને લોકોની સમક્ષ નવરાત્રિ દરમ્યાન તે રાસ રજૂ કરવામાં આવે છે. વર્ષે ગરબીમાં 191 થી વધુ બાળાઓભાગ લીધેલ છે. આ ગરબીમાં તલવાર રાસ, મોગલ માં નો રાસ, સાઢણી રાસમ અંગારા રાસ વિગેરે જેવા અનેક રાસ રજૂ કરવામાં આવે છે. તેની સાથો સાથ આ ગરબીની બાળાઓનો સળગતી ઈઢોંણીનો રાસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઉપરાંત ચાચર ચોકમાં જે રાસ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે ઉંટ અને ઘોડા જેવા રિયલ અભિનય પણ તેમાં સામેલ કરવામાં આવે છે. અને નવરાત્રિ પૂર્ણ થતા દરેક દિકરીને આયોજકો દ્રારા દાતાઓના સહકારથી લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે.  અને આ ગરબીના આયોજનને સફળ બનાવવા માટે 40થી વધુ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવે છે.  




Latest News