મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય ફરિયાદ નોંધાવા પામી છે.જે બાબતે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે સિરામિક સિટીના પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચે ફોસલાવીને ગત તા.૨૮-૯ ના સવારે નવેક વાગ્યાના અરસામાં સિરામિક સીટી નજીકથી અપહરણ કરવામાં આવેલું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા બી ડિવિઝન પોલીસ મથક ખાતે કિરીટ વિનોદભાઈ સાવરીયા રહે.શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ તથા પોક્સો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.હાલ ભોગ બનેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમાર તથા સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

જામનગરના જોડિયા તાલુકાના બોડકા ગામે રહેતા કાંતિભાઈ રામજીભાઈ ટાંક નામના (૬૩) વૃદ્ધ પોતાના ઘર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં પડી ગયા હોય વધુ સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના નવા અંજીયાસર ગામે રહેતા પરિવારનો રમજાન અલાઉદ્દીન મોવર નામનો ૧૨ વર્ષનો બાળક ગામની પ્રાથમિક શાળા પાસેથી બાઈકમાં બેસીને જતો હતો ત્યારે પડી ગયો હોય સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News