હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE







મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબીમાં ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીએ જામીન મુક્ત થવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે. 

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજા (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તાલુકો ફરઘાના જીલ્લો લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળાને મોરબી સીટી બી ડીવી. પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હતી તેમાં વકીલ મનીષાભાઈ પી. ઓઝાએ કરેલ ઘારદાર દલીલ માન્ય રાખી સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માને શરતોને આધીન ૧૫,૦૦0 ના રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News