મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરના ચાલક સામે ગૌરક્ષકે ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ


SHARE







કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરના ચાલક સામે ગૌરક્ષકે ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ

કચ્છથી 70 પાડાને ભરીને મોરબી થઈને જામનગર બાજુ આઇસર વાહન કતલખાને જઈ રહ્યું હતું ત્યારે તે વાહનને રોકવાનો મોરબી નજીક પ્રયાસ કર્યો હતો ત્યારે ગૌરક્ષકો ઉપર વાહન ચડાવવાનો વાહન ચાલકે પ્રયાસ કર્યો હતો અને વાહન લઈને નાસી ગયો હતો ત્યાર બાદ ટંકારા પાસે પડતર જીવમાં વાહન મૂકીને વાહન ચાલક નાસી ગયો હતો જેથી વાહનમાં ભરેલા 70 પાડાને બચાવીને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાહન ચાલક અને તપાસના જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.   

મોરબી અને રાજકોટ ગૌરક્ષકને બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી મોરબી થઈને જામનગર બાજુ એક આઇસર ગાડીમાં અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી મોરબીના બાયપાસ રોડે વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છથી મોરબી થઈને જામનગર જઈ રહેલ આઇસર નંબર જીજે 2 એટી 8200 ને મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થતું હતું જેને રોકવાનો પ્રયાસ કરતાં વાહન ચાલક તેનું વાહન લઈને ટંકારા બાજુ નાસી ગયો હતો. જેનો ગૌરક્ષો દ્વારા પીછો કરવામાં આવેલ હતો ત્યારે ગૌરક્ષક ઉપર વાહન ચડાવી દઈને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ આ ગાડીને ટંકારા ગામમાં છાપરીથી અંદરના ભાગે આવેલ એક ખંડર જીનમાં મૂકીને આરોપી ભાગી ગયેલ હતો જેથી પોલીસને ત્યાં બોલાવી હતી અને પોલીસની હાજરીમાં ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ભેસના 70 પાડા મળી આવ્યા હતા અને તેને ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જતાં હતા જેથી અબોલજીવને બચાવવામાં આવ્યા હતા. અને હાલમાં પાડાને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. અને આ બનાવ સંદર્ભે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા (35)આઇસર નંબર જીજે 2 એટી 8200 ના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News