મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકો અને હેડ ક્વાટર યથાવત રાખો, મોરબીમાં ગેમ તેટલા નવા તાલુકા બનાવો કોઈ વાંધો નથી: કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE





માળિયા (મી) તાલુકો અને હેડ ક્વાટર યથાવત રાખો, મોરબીમાં ગેમ તેટલા નવા તાલુકા બનાવો કોઈ વાંધો નથી: કલેક્ટરને આવેદન પાઠવ્યું

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે માળિયા રાજવીર પરિવારના સભ્ય સહિતના તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા ગમે તેટલા નવા તાલુકા બનાવવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ માળીયા મીયાણા તાલુકો અને તેનું હેડ ક્વાટર યથાવત રહેવુ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈ તેમજ માળીયા મીયાણા રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને જુદા જુદા ગામના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. તેનો વિરોધ કર્યો હતો.

ત્યારે આગેવાનોએ કહ્યું હતું કે, આ નિર્ણય કરવાથી માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. જેથી તેનો દરેક સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને વધુમાં કહ્યું હતું કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. જો માળિયા હેડ ક્વાટર બદલાવવામાં આવે તો તેની વિરાસત અને ઓળખ વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી કરીને માળિયા તાલુકાનું વિભાજન કરીને નવા તાલુકા બનાવવા માટેની જે ગતિવિધિ ચાલી રહી છે તેની સામે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

આજે આવેદન આપવા માટે આવેલા લોકોએ જણાવ્યું છે કે જો સરકાર નવા તાલુકા બનાવતી હોય તો તેની સામે તેમને કોઈ વાંધો નથી પરંતુ માળિયા તાલુકો રજવાડાના સમયથી છે અને તેનું હેડ ક્વાટર માળીયા હતું તો માળિયા તાલુકો અને તેનું હેડ ક્વાટર યથાવત રાખીને નવા જેટલા તાલુકા મોરબી જિલ્લામાં બનવા હોય તેની સામે માળિયા શહેર અને તાલુકાના લોકોને કોઈ વાંધો નથી ઉલ્લેખનીય છે કે, હાલમાં માળિયા તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં અંદાજે 3.22 કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. જેથી આજરોજ આવેદનપત્ર પાઠવીને માળિયા તાલુકો અને તેનું હેડ ક્વાર્ટર યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે અને જો માળીયાનું અસ્તિત્વ ખતમ કરવા માટેના નિર્ણય કરવામાં આવશે તો ગામથી લઈને ગાંધીનગર સુધી અને હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટેની માળિયાના લોકોની તૈયારી છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News