મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ


SHARE











મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ

મોરબી લીલાપર-કેનાલ રોડ  બોરીયા પાટી તેજાણીની વાડી ખાતે રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ મોરબી મહાનગર પાલિકાને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબી મહાનગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ માં આવેલ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર આવેલ બજરંગ સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ નાખેલ છે.પરંતુ બજરંગ સર્કલથી લઈને લીલાપર ચોકડી સુધી એકપણ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલ નથી.! સિરામિક ઉદ્યોગના કારણે લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર વાહન વ્યવહાર પણ ઘણો વધારે છે.જો કોઈ પશુ કે પ્રાણી વચ્ચે આવે તો સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય રહે છે.અને રાત્રિ દરમ્યાન સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો પણ બને છે.બજરંગ સર્કલ પછી રહેતા વાડી વિસ્તાર અને લીલાપર ગામના લોકોને રાત્રિ દરમ્યાન મુસાફરીમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેથી વિનંતી કારાયેલ  છે કે આ અરજીને ધ્યાને લઈને જો કાર્યવાહી કરવામાં આવે તો લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો હલ થઈ શકે અને લોકોને મોરબી મહાનગર પાલિકા તરફથી એક જીવન જરૂરિયાત સુવિધાનો લાભ મળી શકે.

અત્રે નોંધનીય છે કે ગત રાત્રીના જ લીલાપર રોડ પર આવેલા બજરંગ સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બ્લેક કલરના એકટીવા ચાલકને અકસ્માત બનાવમાં ઇજા પહોંચી હતી અને વાહનમાં પણ નુકસાની થઈ હતી.છાશવારે અંધારાના લીધે અકસ્માતો થાય છે અને કોઈ દિવસ કોઈ મોટો જીવલેણ અકસ્માત બને તે પૂર્વે અત્રે સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવે તેવી તે વિસ્તારના સ્થાનિકો દ્વારા લેખિતમાં માંગ કરવામાં આવી છે.હવે પાલિકા આ કામગીરી ક્યારે કરે છે તે જોવું રહ્યું






Latest News