મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

ભાડા કરાર કરનારાઓ સાવધાન: વાંકાનેરમાં બેંકના કચેરીને ભાડે આપેલા મકાનમાં વીજ શોર્ટ લાગતાં યુવાનનું મોત થવા મામલે હવે ગુનો નોંધાયો


SHARE











ભાડા કરાર કરનારાઓ સાવધાન: વાંકાનેરમાં બેંકના કચેરીને ભાડે આપેલા મકાનમાં વીજ શોર્ટ લાગતાં યુવાનનું મોત થવા મામલે હવે ગુનો નોંધાયો

વાંકાનેરના સ્વપ્નલોક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ઉપર બંધન બેન્ક સાથે ભાડા કરાર કરીને જે મકાન આપવામાં આવ્યું હતું તેમાં વાયરીંગ બરોબર કર્યું ન હતું અને ત્યાં રહેતા બેંકના કર્મચારીને વીજ શોર્ટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું અને મકાનમાં વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધનો સ્વિચ રાખવાની હોય તે રાખી ન હતી. જેથી કરીને બેદરકારી રાખનાર મકાનના કબજેદાર સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વઢવાણ મહર્ષિ હોસ્પિટલની પાછળના ભાગમાં ઉપાસના સર્કલ પાસે રામદેવનગરમાં રહેતા જયેશભાઈ રાજુભાઈ રાતડીયા (26) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજીજખાન સરવલખાન પઠાણ રહે. મીલ કોલોની અમરસિંહ મીલ પાસે વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો ભાઈ હાર્દિકભાઈ રાતડીયા વાંકાનેરમાં બંધન બેન્કમાં નોકરી કરતો હતો અને વાંકાનેરમાં આરોપીએ બંધન બેન્ક સાથે પોતાના કબજા ભોગવટા વાળા મકાનનો ભાડા કરાર કરીને મકાન બેંકના કર્મચારીને રહેવા માટે આપ્યું હતું જો કે, પોતાના મકાનની અંદરનું વાયરીંગ બરાબર કર્યું ન હતું અને વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધનો સ્વીચો રાખવાની હોય છે તે નહીં રાખી ન હતી અને ફરિયાદીના ભાઈને ગત તા. 16/6 ન રોજ ઘરમાં વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી મકાનના કબજેદારની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News