મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા


SHARE













મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા

 

મોરબીના સામાકાંઠે આવેલા બે જુદાજુદા વિસ્તારોમાં સામસામે મારામારીના બનાવો બન્યા હતા.જેમાં ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં આઠ લોકોને ઈજા થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં રવિ દિનેશભાઈ સુરેલા (૨૫), સાવન દિનેશભાઈ સુરેલા (૨૩) અને વિક્રમ ભરતભાઈ સુરેલા (૧૮) ને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તે બનાવમાં સામેના પક્ષેથી રમેશભાઇ ટપુભાઈ ધોળકિયા (૫૦) અને કમાભાઈ રમેશભાઈ ધોળકિયા (૨૦) રહે. બધા ઇન્દિરાનગરને ઇજા થયેલ હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મારામારીનો બીજો બનાવ સોઓરડી પાછળના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં બન્યો હતો.જ્યાં મારામારીના બનાવમાં લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ બારોટ (૬૦) અને મધુબેન લક્ષ્મણભાઈ બારોટ (૪૩) તથા સામેના પક્ષેથી અમરશીભાઈ છગનભાઈ બારોટ (૫૦) રહે. બધા માળિયા વનાળીયા સોસાયટીને ઇજા થયેલ હતી.જેથી તેઓને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હોય ઉપરોક્ત બંને બનાવો સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં બે લોકોને ઈજા

મોરબીના હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ગુલ્ફીની લારીઓ ભરેલી રીક્ષાની બ્રેક ફેલ થવાથી આગળ જતાં મિલર વાહનની સાથે અથડાઈ હતી.જે બનાવમાં ઈકબાલ નૂરમામદભાઈ ગાલબ (૩૪) રહે.વાવડી મોરબી તથા અલ્લારખાભાઈ કરીમભાઈ રાઉમા (૫૪) રહે.રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા અલ્તાફ હુસેનભાઇ જીંગીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ કારણોસર રાત્રિના તેના ઘરે જાતે બ્લેડ વડે હાથ ઉપર છરકા કર્યા હતા.જેથી કરીને તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશ હેમુભાઈ સિહોરા નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કરિયાણા અને રણછોડગઢ વચ્ચે બાઈક સાથે ઢોર અથડાવાથી પડી ગયો હોય તેને અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલા વૃષભનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સુરેજાબેન ગોપાલભાઈ સહેજા નામના ૩૫ વર્ષના મહિલા તેઓના ઘરે સીડી ઉપરથી પડી ગયા હોય નાકના ભાગે લોહી નીકળેલ હોય તેમજ બરોબર બોલી શકતા ન હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં હનીફભાઈ અલારખાભાઈ (૪૪) રહે.ચરાડવા તા.હળવદને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News