મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર 220 કેવી એસ.એસ.ના લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વય મર્યાદાને લઇ નિવૃત્ત થાય છે ત્યારે તેમનો નિવૃત્ત સન્માન સમારંભ વાંકાનેરમાં આવેલ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં નાયબ ઇજનેર રામાણીભાઈ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ પરમારભાઈ સહિતના ઇજનેરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને અ.ગુ.વિ.કા.સઘં હોદેદારો એમ.કે.ઝાલા, ઉપાધ્યાયભાઇ, નટુભા ઝાલા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ હરેશભાઈનું સન્માન કર્યું હતું. ઉલેખનીય છે કે, હરેશભાઈ ૧૯૮૬ થી જોડાયા હતા અને ૨૦૨૫ માં નિવૃત થયેલ છે. જેથી જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને તેઓને બીરદાવવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ રામાણીભાઈએ હરેશભાઈને ચાંદીનો સિક્કો આપ્યો હતો અને અન્ય લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિડજાભાઈ અને કે.આઈ.ગોસાઈએ કર્યું હતું હતું.  






Latest News