મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું


SHARE











હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું

હળવદના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી કરવામાં આવી હતી જો કે, સગાઈ થઈ ન હતી જેથી તે બાબતે સગીરાને લાગી આવ્યું હતું અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના કંસારાવાવ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં તરુણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ ફતેસિંહ નાયકની 17 વર્ષની દીકરી સરોજબેને ઓરડીની અંદર લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાના પિતા જગદીશકુમાર નાયક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાની પાંચેક મહિના પહેલા તેના વતનની બાજુમાં આવેલા ગામમાં છોકરા સાથે સગાઈ નક્કી કરેલ હતી જો કે, સગાઈ કરેલ ન હોય તે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું છે તેવી વિગતો તેના પરિવારજનો પાસેથી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News