મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામે ૧૦ માસના બાળકને કુતરાએ માથામાં બટકું ભરી લેતા સારવાર દરમિયાન બાળકનું મોત


SHARE













મોરબીના ઊંચી માંડલ ગામે ૧૦ માસના બાળકને કુતરાએ માથામાં બટકું ભરી લેતા સારવાર દરમિયાન બાળકનું મોત

મોરબીના હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સયાન સીરામીકના લેબર કોટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારના લક્ષ સંતોષભાઈ સોલંકી નામના ૧૦ માસના બાળકના માથાના ભાગે ગત તા.૩૧-૧૦ ના સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં કુતરાએ માથાના ભાગે બટકુ ભરી લીધું હતું.જેથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં લક્ષ સંતોષભાઈ સોલંકીને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જો કે સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નિપજેલ છે.બનાવની રાજકોટ ખાતેથી જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા સંજયભાઈ રતનજીભાઈ સરડવા નામના ૪૬ વર્ષના યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના જેસલમેર ખાતે રિક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં તે ઇજાગ્રસ્ત થયેલ હોય તેને વધુ સારવાર માટે અત્રે લાવવામાં આવેલ છે.જ્યારે ટંકારાના જબલપુર ગામે રહેતા અંબારામભાઈ દેવશીભાઈ શેરસીયા નામના ૫૯ વર્ષના આધેડ ટંકારા ખાતે બાઇક લઈને જતા હતા ત્યાં ખોડીયાર ફાસ્ટફુડ નજીક વાહન સ્લીપ થઇ જતા ઈજા પામતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહીલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ચાર માળિયા વિસ્તારમાં પતિના ત્રાસથી કંટાળી જઈને હાથના ભાગે બ્લેડ વડે ચેકા મારતા રોશનબેન ઇબ્રાહીમભાઇ મકવાણા નામના ૪૦ વર્ષના મહિલાને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે અને મોરબીના કુબેરનાથ રોડ ઉપર લુહાર શેરી વિસ્તારમાં રહેતા પુષ્પાબેન રસિકભાઈ મણીયાર નામના ૮૩ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ મોરબી માધાપરા શેરી નંબર-૮ માં રહેતા જેતુનબેન ગુલામહુસેનભાઇ વડગામા નામના ૬૪ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે જુના બસ સ્ટેશન પાસે તેઓ પડી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી નાની કેનાલ સનરાઈઝ વિલા ખાતે રહેતા ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા નામના ૩૭ વર્ષના યુવાનને ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અને મોરબીના જૈન દેરાસર સામે રહેતા નિશાબેન રાજેશભાઈ દફતરી નામના ૩૦ વર્ષીય મહિલાને પંચાસર રોડ સનરાઈઝ વિલા ખાતે પતિ સાથે ઝઘડો મારામારી થતા ઇજા પામતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.જ્યારે મોરબીના મોટીવાવડી ગામે રહેતા કરશનભાઈ અમરશીભાઈ ગણેશસીયા નામના ૩૯ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવારમાં લાવવામાં આવ્યા હતા.કરશનભાઇ મોરબી આવ્યા હતા અને પરત પોતાના ગામ જતા હતા ત્યારે પંચાસર ચોકડીથી આગળ મામાદેવ મંદિર નજીક તેમના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં તેઓ ઈજા પામ્યા હોય સારવારમાં ખસેડાયા હતા






Latest News