મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન એમ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અને નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કા ર્યક્રમમાં પ્રમુખ લહેરૂ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હોદેદારો દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં આર.ટી.ઓ. અને ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પીઆઇ આર.એ.જાડેજા દ્વારા ટ્રાફિકના નિયમો, લાયસન્સ સંબંધિત માર્ગદર્શિકા તેમજ દ્વિ-ચક્રી અને ચતુરચક્રી વાહનચાલકો માટે જરૂરી સૂચનો ખૂબ જ સમજણપૂર્વક આપવામાં આવેલ હતા. ડો.લખમણભાઈ કંઝારિયાએ સિનિયર સિટીઝન શું કરી શકે?” વિષય પર પોતાની અનુભૂતિઓ વહેંચી હતી. તેમણે કુટુંબભાવના, સમાજભાવના, સંતોષ અને સંવેદનાની અતિમૂલ્ય વાતો કરી સૌને પ્રેરણા આપી. એડવોકેટ જગદિશભાઇ ઓઝાએ પણ આરટીઓ સંબંધિત માહિતીમાં ઉમેરો કરી, સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. અને નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે ભુપતભાઈ પંડ્યાએ સૌને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ જગદીશભાઇ ઓઝા, આડેસરાભાઈ, પૂર્વ ચીફ ઓફિસર ઠાકરભાઈ, ઉર્મિલાબેન લ્હેરુ વિગેરે હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની સહુકોઈએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, પી.એન.રાંકજા, કે.પી. ભાગિયા, ડૉ. એમ.ડી. જાડેજા, એન.એમ. ચડાસણિયા અને સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના કારોબારી સદસ્યોએ જહેમત લીધી હતી.




Latest News