મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન એમ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અને નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કા ર્યક્રમમાં પ્રમુખ લહેરૂ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હોદેદારો દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં આર.ટી.ઓ. અને ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પીઆઇ આર.એ.જાડેજા દ્વારા ટ્રાફિકના નિયમો, લાયસન્સ સંબંધિત માર્ગદર્શિકા તેમજ દ્વિ-ચક્રી અને ચતુરચક્રી વાહનચાલકો માટે જરૂરી સૂચનો ખૂબ જ સમજણપૂર્વક આપવામાં આવેલ હતા. ડો.લખમણભાઈ કંઝારિયાએ સિનિયર સિટીઝન શું કરી શકે?” વિષય પર પોતાની અનુભૂતિઓ વહેંચી હતી. તેમણે કુટુંબભાવના, સમાજભાવના, સંતોષ અને સંવેદનાની અતિમૂલ્ય વાતો કરી સૌને પ્રેરણા આપી. એડવોકેટ જગદિશભાઇ ઓઝાએ પણ આરટીઓ સંબંધિત માહિતીમાં ઉમેરો કરી, સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. અને નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે ભુપતભાઈ પંડ્યાએ સૌને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ જગદીશભાઇ ઓઝા, આડેસરાભાઈ, પૂર્વ ચીફ ઓફિસર ઠાકરભાઈ, ઉર્મિલાબેન લ્હેરુ વિગેરે હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની સહુકોઈએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, પી.એન.રાંકજા, કે.પી. ભાગિયા, ડૉ. એમ.ડી. જાડેજા, એન.એમ. ચડાસણિયા અને સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના કારોબારી સદસ્યોએ જહેમત લીધી હતી.






Latest News