મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામ પાસેથી બાઇક-બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: બેને ઇજા


SHARE





વાંકાનેરના મહીકા ગામ પાસેથી બાઇક-બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: બેને ઇજા

વાંકાનેરના મહીકા ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક ચાલકે અચાનક ઇન્ડિકેટર આપ્યા વગર પોતાનું બાઈક રોડની સામેની તરફે લેતા બાઈક બુલેટ સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું અને ઈજા પામેલા બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ ગોકુલનગર સોસાયટી દેવ વિહાર બંગલાની સામેના ભાગમાં મહાવીરનગર આગળ શેરી નં-2 માં રહેતા મિહિરભાઈ અશ્વિનકુમાર પોપટ (23)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એએસ 7151 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના મહીકા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી ફરિયાદી તથા કિશનભાઇ અને મનદીપસિંહ બુલેટ નંબર જીજે 36 એક્યુ 5719 માં જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી બુલેટ ચલાવતો હતો અને બાઇક ચાલકે પાછળ જોયા વગર કે ઇન્ડિકેટર આપ્યા વગર અચાનક પોતાનું બાઈક રોડની સામેની તરફે લેતા ફરિયાદીના બુલેટ સાથે આરોપીનું બાઇક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને માથાના ભાગે તથા ડાબી આંખ પાસે અને ડાબા પગમાં ઈજા થઈ હતી જ્યારે સાહેકિશનભાઇને માથા, ડાબા હાથ અને શરીરે ઇજાઓ થયેલ છે અને નદીપસિંહને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News