મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતીમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ


SHARE









ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતીમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબી સહિત ગુજરાતમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં ગ્રેજયુએટના બદલે ધો.10 કે 12 પાસ હોય તેવા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને એસ.ટી.ની ભરતી પ્રક્રીયામા ફેરફાર કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર  દ્વારા તે અંગેની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે પરંતુ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવો જરૂર છે હાલમાં ગ્રેજયુએટની જે ભરતી કરવામાં આવે છે તે તદન ગેરવ્યાજબી છે કારણ કે ગ્રેજયુએટને કોઈ સારી નોકરી મળી જાય એટલે તે આ નોકરી છોડીને ચાલ્યા જાય છે અને ફરી જગ્યા ખાલી પડે છે અને ફરી વખત ભરતી કરવી પડે છે જેથી સરકારને ખોટો ખર્ચ થાય છે અને સમય વેડફાય છે જેથી એસ.ટી.માં ભરતીમાં ફકત બાર પાસ હોય તેવા અથવા એસ.એસ.સી. પાસ હોય તેવા અરજદારને લેવા જોઈએ. તેમજ મહીલાઓની ભરતી ઓફીસ વર્કમાં કરવી જોઈએ જેથી તે તેના પરિવારને ઉપયોગી થઈ શકે છે હાલમા કંડકટરમાં મહીલાની ભરતી કરવામાં આવે છે જે તદન ગેરવ્યાજબી છે અને મહીલા કંડકટર મુસાફર તથા એસ.ટી.ના અધિકારીને પણ દબાવે છે અને દાદાગીરીથી નોકરી કરે છે જેથી બંને રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કરવા માટેની માંગ કરી છે.






Latest News