મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી


SHARE

















મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ લેખીતમાં રજૂઆત કરીને જણાવેલ છેકે, મોરબી સીટી અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી એવી રજુઆત મળેલ છે કે છેલ્લા ત્રણ મહીનાથી એન.એસ.એફના ફોર્મ એટલે કે સમાજના છેવાડાના માણસને ધંઉંચોખા તેમજ અન્ય રાશન મળી રહે તે માટેના ફોર્મ આમ તો કાયમી ધોરણે સ્વીકારવાના જ હોય છે.પરંતુ હાલમા ધણા સમયથી આ અગત્યની કામગીરી બંધ છે..! જે બાબતે મામલતદાર મોરબીને રજુઆત કરતા તેઓએ તા.૧-૧૧ ના પત્રથી જણાવેલ કે હાલમાં તેઓના ધણા કાર્યક્રમ હોય આ ફોર્મ અમો સમયસર લઇ શકતા નથી જેને લઇને ગરીબ અને જરૂરીયાત વર્ગના રાશનકાર્ડ ધારકો હેરાન થઇ રહ્યા છે માટે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરીને હાલમા એવી અરજ કરાયેલ છેકે એન.એસ.એફની અરજીઓ મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે સ્વીકારવાનું ચાલુ કરવું જોઇએ અને તે અરજીઓ ચેક કરીને મોરબી મામલતદારે લાલબાગ ખાતે મોકલી આપે તો મોરબી મામલતદાર આગળની કાર્યવાહી કરી શકે અને ગરીબ માણસોને લાલબાગના ધકકા બંધ થાય અને ખોટા રીક્ષા ભાડા ન આપવા પડે.

વધુમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં મોરબી સીટી મામલતદારમાં એક નાયબ મામલતદાર પુરવઠાની પોસ્ટીંગ પણ થયેલ છે.તેમજ બે ઓપરેટરો પણ સરકારે ફાળવેલ છે તો જેતે ફોર્મ વેરીફાઇ કરીને મોરબી સેવાસદન ખાતે મોકલી આપવામાં આવે તો સહેલાઇથી આવી અરજીઓનો નિકાલ થઇ શકે તેમ છે માટે પ્રજાના હિતમાં આ મુદદાને અગ્રીમતા આપી યોગ્ય સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.




Latest News