મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી


SHARE











મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ લેખીતમાં રજૂઆત કરીને જણાવેલ છેકે, મોરબી સીટી અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી એવી રજુઆત મળેલ છે કે છેલ્લા ત્રણ મહીનાથી એન.એસ.એફના ફોર્મ એટલે કે સમાજના છેવાડાના માણસને ધંઉંચોખા તેમજ અન્ય રાશન મળી રહે તે માટેના ફોર્મ આમ તો કાયમી ધોરણે સ્વીકારવાના જ હોય છે.પરંતુ હાલમા ધણા સમયથી આ અગત્યની કામગીરી બંધ છે..! જે બાબતે મામલતદાર મોરબીને રજુઆત કરતા તેઓએ તા.૧-૧૧ ના પત્રથી જણાવેલ કે હાલમાં તેઓના ધણા કાર્યક્રમ હોય આ ફોર્મ અમો સમયસર લઇ શકતા નથી જેને લઇને ગરીબ અને જરૂરીયાત વર્ગના રાશનકાર્ડ ધારકો હેરાન થઇ રહ્યા છે માટે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરીને હાલમા એવી અરજ કરાયેલ છેકે એન.એસ.એફની અરજીઓ મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે સ્વીકારવાનું ચાલુ કરવું જોઇએ અને તે અરજીઓ ચેક કરીને મોરબી મામલતદારે લાલબાગ ખાતે મોકલી આપે તો મોરબી મામલતદાર આગળની કાર્યવાહી કરી શકે અને ગરીબ માણસોને લાલબાગના ધકકા બંધ થાય અને ખોટા રીક્ષા ભાડા ન આપવા પડે.

વધુમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં મોરબી સીટી મામલતદારમાં એક નાયબ મામલતદાર પુરવઠાની પોસ્ટીંગ પણ થયેલ છે.તેમજ બે ઓપરેટરો પણ સરકારે ફાળવેલ છે તો જેતે ફોર્મ વેરીફાઇ કરીને મોરબી સેવાસદન ખાતે મોકલી આપવામાં આવે તો સહેલાઇથી આવી અરજીઓનો નિકાલ થઇ શકે તેમ છે માટે પ્રજાના હિતમાં આ મુદદાને અગ્રીમતા આપી યોગ્ય સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.






Latest News