મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી


SHARE











મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ લેખીતમાં રજૂઆત કરીને જણાવેલ છેકે, મોરબી સીટી અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી એવી રજુઆત મળેલ છે કે છેલ્લા ત્રણ મહીનાથી એન.એસ.એફના ફોર્મ એટલે કે સમાજના છેવાડાના માણસને ધંઉંચોખા તેમજ અન્ય રાશન મળી રહે તે માટેના ફોર્મ આમ તો કાયમી ધોરણે સ્વીકારવાના જ હોય છે.પરંતુ હાલમા ધણા સમયથી આ અગત્યની કામગીરી બંધ છે..! જે બાબતે મામલતદાર મોરબીને રજુઆત કરતા તેઓએ તા.૧-૧૧ ના પત્રથી જણાવેલ કે હાલમાં તેઓના ધણા કાર્યક્રમ હોય આ ફોર્મ અમો સમયસર લઇ શકતા નથી જેને લઇને ગરીબ અને જરૂરીયાત વર્ગના રાશનકાર્ડ ધારકો હેરાન થઇ રહ્યા છે માટે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરીને હાલમા એવી અરજ કરાયેલ છેકે એન.એસ.એફની અરજીઓ મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે સ્વીકારવાનું ચાલુ કરવું જોઇએ અને તે અરજીઓ ચેક કરીને મોરબી મામલતદારે લાલબાગ ખાતે મોકલી આપે તો મોરબી મામલતદાર આગળની કાર્યવાહી કરી શકે અને ગરીબ માણસોને લાલબાગના ધકકા બંધ થાય અને ખોટા રીક્ષા ભાડા ન આપવા પડે.

વધુમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં મોરબી સીટી મામલતદારમાં એક નાયબ મામલતદાર પુરવઠાની પોસ્ટીંગ પણ થયેલ છે.તેમજ બે ઓપરેટરો પણ સરકારે ફાળવેલ છે તો જેતે ફોર્મ વેરીફાઇ કરીને મોરબી સેવાસદન ખાતે મોકલી આપવામાં આવે તો સહેલાઇથી આવી અરજીઓનો નિકાલ થઇ શકે તેમ છે માટે પ્રજાના હિતમાં આ મુદદાને અગ્રીમતા આપી યોગ્ય સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.






Latest News