મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ફૂટપાથ પાસે તૂટી ગયેલ રેલિંગ તાત્કાલિક રીપેર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખની માંગ


SHARE













મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ફૂટપાથ પાસે તૂટી ગયેલ રેલિંગ તાત્કાલિક રીપેર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખની માંગ

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ઝુલતા પુલ નજીક રોડ સાઈડમાં જે ફૂટપાથ બનાવવામાં આવી છે તેની બાજુમાં રેલિંગ તૂટી ગઈ છે તેમ છતાં પણ તેને રિપેર કરવામાં આવતી નથી જેથી કરીને તંત્ર દ્વારા જાણે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને ત્યાં રેલિંગ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેના કારણે 135 જેટલા લોકોના મોત નીપજયાં હતા તે ઘટનાની સમગ્ર દેશ અને દુનિયામાં નોંધ લેવામાં આવી હતી જોકે ઝૂલતા પુલની બાજુમાં જ મહેન્દ્ર ડ્રાઈવ રોડ શરૂ થાય છે ત્યાં સવારે એને સાંજના સમયે વોકિંગ કરવા માટે ઘણા લોકો પસાર થતા હોય છે જોકે રોડ સાઈડમાં જે ફૂટપાથ આવેલ છે તે ફૂટપાથની બાજુમાં વર્ષો જૂની ઐતિહાસિક કહી શકાય તેવી જે લોખંડની ગ્રીલો મૂકવામાં આવી હતી તે ગ્રીલ તૂટી ગયેલ છે તેમ છતાં પણ તેને રિપેર કરવા માટેની સ્તી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી ત્યારે આ તૂટી ગયેલ રેલિંગના કારણે ત્યાં આવેલા કોઈ મુલાકાત, કોઈ બાળક કે કોઈ અન્ય વ્યક્તિ નીચે પડી જાય અથવા તો કોઈ ઘટના દુર્ઘટના સર્જાય તો નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી શક્યતા છે જેથી આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજન દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિકના ધોરણે આ રેલિંગ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News