મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત


SHARE













મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત

હાલમાં SIR ની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘણા લોકોના નામ 2002 ની યાદીમાં નથી અને ઘણા લોકોને ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી જેથી લોકો અને ખાસ કરીને બીએલઓ હેરાન થઈ રહ્યા છે જેથી કરીને તાત્કાલિક તેની મુશ્કેલીને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રેદેશના જોઇન્ટ સેક્રેટરીરાજયના મુખ્ય ચંટણી કમિશ્નરને રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્ય ચંટણી કમિશ્નરને લેખીત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, SIR ની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણા મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. તેઓએ મતદાન પણ કરેલ છે. પરંતુ તેઓને હાલમાં ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી. જેથી આવા મતદારો હેરાન છે તો તેઓને તાત્કાલિક ગણતરી પત્રક ફોર્મ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તેઓના નામ મતદાર યાદીમાં રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં જણાવ્યુ છે કે, બીએલઓ જ્યારે ઓન લાઇન મેપિંગ કરે છે. ત્યારે ઘણા મતદારોના નામ વેરીફાઈ થતા નથી. આ માટે ચૂંટણી પંચના ખોટા અપલોડ થયેલા ડેટાના કારણે આવું થાય છે. તો આ ડેટા સુધારીને અપલોડમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી પણ માગણી કરેલ છે. આ ઉપરાંત ઘણા લોકોના નામ 2002 ની યાદીમાંથી ગાયબ છે. એટલે તેઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી. જેથી તેના માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે.




Latest News