મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું


SHARE







મોરબીમાળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું

સમાજનો સાથ એજ સમાજનો વિકાસના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીમાળિયા તાલુકા દ્વારા નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો ભવ્ય સત્કાર સમારોહ અને સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટે જુદાજુદા સેંટરોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આગામી તા 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ટિંબાવાળી મેલડી માતાજીનાં મંદિરે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મોરબીમાળિયા તાલુકાના નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન પણ યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન નવા હોદેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગામી સમયમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના આયોજનો કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મના મુખ્ય આયોજકો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકાનાં પ્રમુખ જીતેશભાઈ પરમારમ શહેરના પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા તેમજ વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ ઠાકોર, ભરતભાઈ પરમાર, ભરતભાઈ સરવૈયા વિગેરે હતા. 






Latest News