રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE











મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરાનો પ્રથમ નંબર, હેતલબેન કાંસુંદ્રા આમરણ શાળાનો દ્વીતીય નંબર, રજનીબા જાડેજા નવાપરા ખારચિયા શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો. સ્પર્ધામાં  નાયબ મામલતદાર કલ્પેશ.ડી.બુશા ઉપસ્થિતમાં વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, ઉમેશભાઈ બોપલીયા સી.આર.સી. કો.ઓર્ડીનેટર વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું અને વિજેતાના નામ જાહેર કર્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિતેશભાઈ, પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ ઉંટવડિયા તેમજ હાલના બળવંતભાઈ સનારીયા, તાલુકાના અધ્યક્ષ પ્રણવ ઠાકર ચંદુભાઈ જોશી વગેરે  મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News