મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

માળિયા-કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE





માળિયા કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમની અંદર રાજસ્થાની યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોટલના મેનેજરે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસીને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમ નંબર 1 માં રહેતા ફૂકરાજ કલ્યાણસિંહ રાવતરાજપુત (18) નામના યુવાને કોઈપણ કારણોસર હોટલના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોટલના મેનેજર રાકેશભાઈ બળવંતભાઈ વણઝારા (30) રહે. હાલ ખોડીયાર કાઠીયાવાડ હોટલ માળીયા મૂળ રહે રાજસ્થાન વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો તેવી માહિતી હોટલના મેનેજર પાસેથી જાણવા મળેલ છે જો કે, યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશાના પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News