માળિયા-કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં યુવાને જીવન ટુંકાવ્યુ
SHARE
માળિયા કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમની અંદર રાજસ્થાની યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોટલના મેનેજરે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસીને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમ નંબર 1 માં રહેતા ફૂકરાજ કલ્યાણસિંહ રાવતરાજપુત (18) નામના યુવાને કોઈપણ કારણોસર હોટલના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોટલના મેનેજર રાકેશભાઈ બળવંતભાઈ વણઝારા (30) રહે. હાલ ખોડીયાર કાઠીયાવાડ હોટલ માળીયા મૂળ રહે રાજસ્થાન વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો તેવી માહિતી હોટલના મેનેજર પાસેથી જાણવા મળેલ છે જો કે, યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશાના પોલીસે તપાસ હાથ ધરી છે.