મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા પાસે ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ


SHARE











માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા પાસે ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ

માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ-થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ પદયાત્રીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઇ સગથાભાઈ ચૌધરી (51)એ નંબર જીજે 12 બીવી 9649 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધી પદયાત્રામાં નીકળ્યા હતા અને 11 પદયાત્રીઓ તથા વાહનમાં 2 આમ કુલ 13 વ્યક્તિઓ દ્વારકા સુધી જઈ રહ્યા હતા દરમિયાન મોરબી જિલ્લામાં માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી તેઓ પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (28), અમરાભાઇ લાલજીભાઈ ચૌધરી (62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (68) રહે. બધા નવા દિયોદર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જો કે, ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News