મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા નજીક ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનર પોલીસે કબ્જે કર્યું: આરોપીની શોધખોળ


SHARE











માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા નજીક ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનર પોલીસે કબ્જે કર્યું: આરોપીની શોધખોળ

માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ-થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ પદયાત્રીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરને કબ્જે લેવામાં આવેલ છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઇ સગથાભાઈ ચૌધરી (51)એ નંબર જીજે 12 બીવી 9649 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધી પદયાત્રામાં નીકળ્યા હતા અને 11 પદયાત્રીઓ તથા વાહનમાં 2 આમ કુલ 13 વ્યક્તિઓ દ્વારકા સુધી જઈ રહ્યા હતા દરમિયાન મોરબી જિલ્લામાં માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી તેઓ પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (28), અમરાભાઇ લાલજીભાઈ ચૌધરી (62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (68) રહે. બધા નવા દિયોદર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જો કે, ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ટ્રકને કબ્જે લીધેલ છે જો કે, આરોપી મોહનસિંગ શ્રાવણસિંગ રાવત નું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News