મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ


SHARE













મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ
મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીનાં હસ્તે શહીદશ્રીનાં પત્નીને ૧ લાખનો ચેક અર્પણ કરાયો
મોરબી જિલ્લાના વતની શહીદ ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા.તેઓ ચાલુ ફરજ દરમિયાન તા.૯-૧૨ ના રોજ શહીદ થતાં આ દુઃખદ ઘટનાને પગલે શહીદના પરિવારજનોને આર્થિક સહયોગ મળી રહે તે હેતુસર મોરબી જિલ્લા પંચાયત દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે રૂપિયા એક લાખ રૂપિયાની સહાય મંજૂર કરી શહિદના પત્ની પરમાર સંગિતાબેન ગણેશભાઇને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. 

આ આ દુઃખદ ઘટનાથી  સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-સેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી તથા તમામ જિલ્લા પંચાયત સદસ્યઓએ શહીદના બલિદાનને નમન કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે, શહીદ ગણેશભાઈ પરમારનું બલિદાન હંમેશા યાદગાર રહેશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.






Latest News