મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ
SHARE
મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ
મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીનાં હસ્તે શહીદશ્રીનાં પત્નીને ૧ લાખનો ચેક અર્પણ કરાયો
મોરબી જિલ્લાના વતની શહીદ ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા.તેઓ ચાલુ ફરજ દરમિયાન તા.૯-૧૨ ના રોજ શહીદ થતાં આ દુઃખદ ઘટનાને પગલે શહીદના પરિવારજનોને આર્થિક સહયોગ મળી રહે તે હેતુસર મોરબી જિલ્લા પંચાયત દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે રૂપિયા એક લાખ રૂપિયાની સહાય મંજૂર કરી શહિદના પત્ની પરમાર સંગિતાબેન ગણેશભાઇને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ આ દુઃખદ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-સેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી તથા તમામ જિલ્લા પંચાયત સદસ્યઓએ શહીદના બલિદાનને નમન કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે, શહીદ ગણેશભાઈ પરમારનું બલિદાન હંમેશા યાદગાર રહેશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.