આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ૬ કેન્દ્રો ઉપર લેવાશે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE













મોરબી શહેરમાં ૬ કેન્દ્રો પર લેવાશે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાના ૬ કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટેની પ્રાથમિક પરીક્ષા આગામી તા. ૪/૧ ના રોજ બપોરે ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટેની પ્રાથમિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૪/૧ ના રોજ બપોરે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ પરીક્ષા મોરબીમાં ધી વી.સી.ટેક હાઇસ્કુલ (વી.સી.ફાટક પાસે), ઓમ શાંતિ વિદ્યાલય (સરદાર બાગની સામે), નિલકંઠ વિદ્યાલય (રવાપર રોડ), નવયુગ વિદ્યાલય (કન્યા છાત્રાલય પાછળ), જ્ઞાનપથ વિદ્યાલય (ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ), ઉમા વિદ્યાલય સંકૂલ (ઉમા ટાઉનશીપ પાસે) ખાતે લેવામાં આવશે. ત્યાં જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. 






Latest News