પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર


SHARE







મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં વેરાની વસુલાત માટે પહેલા નોટિસ અને પછી વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી કરીને સ્થાનિક લોકો આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાર કહ્યું હતું કે, હાલમાં વેરા વસૂલ માટે આડેધડ નોટિસો આપવામાં આવેલ છે જો કે, હજુ સુધી આ વિસ્તારમાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવેલ નથી જેથી પહેલા વાડી વિસ્તારમાં રહેતા લોકોને સુવિધા આપવામાં આવે ત્યાર બાદ લોકો વેરો ભરવા માટે તૈયાર છે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વાડીઓ આવેલી છે અને તે વાડી વિસ્તારમાં સતવારા સમાજના લોકો રહે છે અને તેઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના માટે એક નહીં પરંતુ અનેક વખત મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તે હક્કિત છે તો પણ આ વિસ્તારમાં રહેતા લોકોને મહાપાલિકા દ્વારા પહેલા નોટિસ અને ત્યાર બાદ વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી સ્થાનિક લોકો કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ત્યારે જણાવ્યુ હતું કે, તેઓને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને વેરાની વતુલાત માટે નોટીસો આપવામાં આવી રહી છે જેથી પહેલા સુવિધા આપવામાં આવે ત્યાર બાદ વેરો ભરવા માટે સ્થાનિક લોકો તૈયાર છે તેવી લોકોએ ખાતરી આપેલ હતી અને હાલમાં આડેધડ વેરો વસૂલ કરવા માટે રકમ લખીને નોટિસો આપવામાં આવેલ છે જેથી તેમાં રાહત આપવાની માંગ કરી હતી ત્યારે કમિશનરે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા વ્યાજ માફી માટે સમયાંતરે યોજના બહાર પાડવામાં આવતી હોય છે તેવી જ રીતે આગામી સમયમાં મોરબીમાં વેરા માફી માટે કમિશનર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવી આવેદનપત્ર આપવા માટે આવેલા લોકોને બાહેધરી આપવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવે તો વેરો ભરવા માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી.






Latest News