મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ


SHARE











મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ

મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાના બાળકોને લઈને તેની બસ હળવદ તાલુકામાં ગયેલ હતી ત્યારે રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે બસની ટાયર ફટયું હતું જેથી કરીને બસ વીજપોલ સાથે અથડાઇ હતી જો કે, અકસ્માતના કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબીના આમરણ ગામે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના 47 વિદ્યાર્થીઓને લઈને તેની બસ ઘુડખર અભ્યારણનો પ્રવાસ કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલ બસ હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે હતી ત્યારે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેથી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ સીધી વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને વીજપોલની ઓથ આવી જવાના લીધે તે બસ પલટી મારી ન હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અને અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે બસમાં કુલ મળીને 52 લોકો બેઠેલા હતા.






Latest News