મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ


SHARE





મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ

મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાના બાળકોને લઈને તેની બસ હળવદ તાલુકામાં ગયેલ હતી ત્યારે રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે બસની ટાયર ફટયું હતું જેથી કરીને બસ વીજપોલ સાથે અથડાઇ હતી જો કે, અકસ્માતના કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબીના આમરણ ગામે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના 47 વિદ્યાર્થીઓને લઈને તેની બસ ઘુડખર અભ્યારણનો પ્રવાસ કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલ બસ હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે હતી ત્યારે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેથી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ સીધી વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને વીજપોલની ઓથ આવી જવાના લીધે તે બસ પલટી મારી ન હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અને અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે બસમાં કુલ મળીને 52 લોકો બેઠેલા હતા.




Latest News