મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

મોરબી સબજેલના બંદીવાનો જીવનનો સાચો રાહ બતાવવા યંગ ઇન્ડિયા ગ્રુપે જેલમાં લાલો ફિલ્મ દેખાડી


SHARE













મોરબી સબજેલના બંદીવાનો જીવનનો સાચો રાહ બતાવવા યંગ ઇન્ડિયા ગ્રુપે જેલમાં લાલો ફિલ્મ દેખાડી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી સબજેલના બંદીવાનોંને "લાલો- કૃષ્ણ સદા સહાયતે " ફિલ્મ બતાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ હકારાત્મક જીવનશૈલીનો મેસેજ આપતી ખુબ જ સુંદર ફિલ્મ બતાવી જેલમાં બંદીવાનોને માનસિક તણાવ દૂર થાય તેવો જેલ તંત્ર દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોરબી જેલના ૩૧૯  બંદીવાનો માટે હકારાત્મક દ્રષ્ટિકોણ અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. મોરબીના યંગ ઇન્ડિયા ગૃપના ડો દેવેનભાઈ રબારીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો અને સબજેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એચ.એ.બાબરીયાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યુ હતું કે, આ પ્રકારની પ્રેરક પહેલ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી આ પાછળનું મુખ્ય કારણ જેલમાં બંધ બંદીવાનોમાં માનસિક તણાવ ઘટાડવામાં અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદેશ છે સાથે સાથે બંદીવાન ભાઈઓના માનસિક રીતે પણ ખુબ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને લાલો - કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ જે કર્મના સિદ્ધાંત પર આધારિત છે, તે કેદીઓને તેમના ભૂતકાળ પર વિચાર કરવા અને ભવિષ્યમાં સારો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી શકે છે.

અંતમાં ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, જીવનમાં પરિસ્થિતિ કેટલીય મુશ્કેલ કેમ ન હોય, પરંતુ માનવી જો આત્મચિંતન, કર્મના સિદ્ધાંતો અને સકારાત્મક વિચારસરણીને જીવનમાં સ્થાન આપે તો નવી શરૂઆત હંમેશા શક્ય બને છે. તેમણે બંદીવાનોને માનસિક રીતે મજબૂત રહેવા, યોગ, ધ્યાન અને સદ્કર્મના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. અને ખાસ કરીને જેલ માત્ર દંડનું સ્થળ નથી, પરંતુ જીવન સુધારાનું કેન્દ્ર બની શકે છે. 






Latest News