હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે

સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન આદર્શ શાળા, ન્યુ આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે સવારે ૦૯:૩૦ થી ૧૧;૦૦ દરમિયાન મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનું વજન વધારે તેવા લોકો વજન ઘટાડવા અને મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા તથા તેના નિવારણ માટે આ સોનેરી તકનો લાભ લઈ શકે છે. આ કેમ્પ તમારા તનના ભાર સાથે સાથે મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન સાથે જોડશે.

યોગ કેમ્પમાં પૂર્ણ સમય હાજર રહેનારને જ સંપૂર્ણ લાભ મળશે. કેમ્પમાં નિયમિતતા રહે તે માટે ટોકન સ્વરૂપે ૩૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે. બાકી સમગ્ર કેમ્પ નિઃશુલ્ક છે. વધુ વિગત માટે 9033643781, 9879532457 તથા 7984357003 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકાયેલ છે. WHO - (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭ માં 'ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી છે.

આજની જીવનશૈલીમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ (કોલ્ડડ્રિક્સ, જંકફૂડ) વધુ પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસના અભાવથી, વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહાર થી તથા તણાવ અને અનિયમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ અને હોર્મોનલ અસંતુલન (થાઈરોઈડ, ડાયાબિટીસ) ના કારણે લોકોને મેદસ્વિતાનો સામનો કરવો પડે છે.






Latest News