મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા


SHARE













મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા 

ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી તેમજ મોરબી આપ પાર્ટીના અગ્રણી કાંતિલાલ ડી બાવરવા (કે.ડી.બાવરવા) એ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છેકે, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બગથળા ગામેથી કાંતિપુર ગામને જોડતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવો  હોય તો રસ્તામાં વધારે બીમાર થાય તેવી પરિસ્થિતિ  છે.

વધુમાં ગામ લોકોને પોતાની  રોજીરોટી માટે કે  ખરીદી માટેના કારણોસર મોરબી જવું હોય તો ખુબજ તફ્લીક પડી રહી છે.તેથી આ રસ્તાને તાત્કાલિક રીપેર કરવો જરૂરી છે.જો આ કામને ધ્યાને લઇને તાત્કાલીક સુધારણા નહીં કરવામાં આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાન્ત્મક કાયક્રમો આપવાની ફરજ પડશે તેથી આ બાબતે વહેલાસર યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવેલ છે




Latest News