મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત


SHARE











હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત

70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન મનજીભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રૂક્ષ્મણીબે ઉર્ફે રૂખીબેન મનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 70, રહે. ટીકર (રણ), તા.હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે દિવા-બત્તી કરતી વખતે દીવાની જાળ પહેરેલ કપડે લાગી જતા દાઝી ગયા હતા.તેમને તત્કાલ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંથી મોરબી સિવિલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, રૂખીબેનને 2 પુત્ર છે. પરિવાર ખેતી કરે છે. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News