મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીના પતિ અરવિંદભાઇનું અવસાન થયેલ.તેમણે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સનો વીમો લીધેલ હતો.ઈન્શ્યોરન્સ કંપનીએ રેપ્યુડેશન લેટરથી વીમો આપવાની ના પાડતા મંજુલાબેને શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવ્યો હતો.ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂ.૫,૦૦,૦૦૦ વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મોરબીના મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીએ એચડીએફસી ફાયનાન્સ પાસેથી પાંચ લાખનો વીમો લીધેલ હતો.બાદમાં અરવિંદભાઈનું તા.૨૦-૪-૨૦ ના કુદરતી રીતે અવશાન થતા વીમા કંપાનીએ તેમના પત્નિ મંજુલાબેન વસીયાણીએ તમામ કાગળો રજુ કરેલ.પરંતુ વીમા કંપનીએ એવું કહયું કે અરવિંદભાઈને હર્નીયા હતું.તેથી વીમો મળે નહીં.તેમણે રોગ છુપાવેલ હોય વીમો મળે નહીં.પરંતું ડોકટરના સર્ટી મુજબ લીવરની બીમારીને કારણે અરવિંદભાઈનું મૃત્યુ થયેલ છે.વીમાનું પ્રીમીયર ગ્રાહકે ભરેલ છે આ માટે વીમા કંપની રેપ્યુડેશન લેટરનો આશરો લઈ શકે નહી માટે એચ.ડી.એફ.સી ઇન્સ્યોરન્સે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂા.૫,૦૦,૦૦૦ તા.૨૭-૨-૨પ થી છ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સહિત ચુકવવા આદેશ કરેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

 






Latest News