મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહીદાસ પરામાં આવેલ સંત રોહીદાસ બાપુના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંત રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News