મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીની કોર્ટમાં પોકસોનો કેદ ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા પોકસો કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવા માટેનો હુકમ કરેલ છે.

આ કેસની મળતી માહિતી મુજબ ગત તા. 5/11/2023 ના રોજ સવારે આરોપી દ્વારા ફરીયાદીની સગીર દીકરીનું લલચાવી-ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે  પાટણ, અમદાવાદ વિગેરે સ્થળે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસની મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવાઓમાં બનાવ સમયે ભોગબનનાર ખરેખર સગીર હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ, ડોકટરના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈપણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી, તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ જે તમામ પુરાવાના અંતે આરોપી વકીલ જે.ડી.સોલંકી, પી.ડી.પરમાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદપક્ષના નિવેદનો પરસ્પર વિરોધાભાસી છે અને ભોગબનનાર, તેના પરિવારજનો તેમજ અન્ય સ્વતંત્ર સાક્ષીઓએ ફરીયાદના આક્ષેપોને સમર્થન આપ્યું નથી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપ સામેનો પોકસો એક્ટ હેઠળનો ગુનો સાતત્યસભર, વિશ્વસનીય અને આધારભૂત પુરાવાથી પુરવાર થતો નથી. જેના આધારે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને પોકસો સહિતના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે આ આ કેસમાં બચાવ પક્ષે મોરબી જિલ્લાના યુવા વકીલ જે.ડી.સોલંકી, જયેશ પટેલ તથા પી.ડી.પરમારરોકાયેલ હતા અને તેઓએ દલીલો કરી હતી જ્યારે તેમની સાથે વકીલ મયુર ઊભડિયા, દીપક મકવાણા, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેર, વીરલ છનિયારા અને જયકાંત મકવાણા પણ જોડાયેલા છે.






Latest News