માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા ડોક્ટર દ્વારા તેનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશનમાં ભાડે આપવામાં આવ્યું હતું અને તે બેન્ક એકાઉન્ટની અંદર 14.55 લાખ રૂપિયા આવ્યા હતા અને તે પૈસાને સગેવગે કરવામાં આવ્યા છે જેથી ડોક્ટર સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે પૈકી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 14 માં આવેલ ખ્વાજા પેલેસ ખાતે રહેતા ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયા, ચિરાગ રહે. અમદાવાદ અને મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તાલુકો બોટાદ વાળાની સામે ગુનો નોંધાયો હતો જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં રહેતા ડો. સુજલ સબીરભાઈ ચામડીયાએ પોતાનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન પેટે ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું અને ત્યારબાદ ચિરાગ અને મનોજે તેઓની સાથે લાગતા વળગતા શખ્સો સાથે પૂર્વ આયોજિત કાવતરું કરીને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને ડોક્ટર સુજલ ચામડીયાના બેન્ક એકાઉન્ટમાં 14,55,349 રૂપિયા મેળવ્યા હતા જે પૈકીના 7,60,034 રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા રહે. ખ્વાજા પેલેસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામેકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે શીતળામાતા ધાર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતાં ભાવેશ મનસુખભાઈ પટેલ (૩૨) રહે.રામપર મોરબીને માથા અને છાતિમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામના ભાવેશભાઈ વશરામભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને ઘર નજીક અજાણ્યા વ્યક્તિ સાથે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી જેમાં શરીરના ભાગે ઈજા થતા મોરબી સીવીલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી વીસીપરામાં રહેતા અલીભાઈ સિકંદરભાઈ ભટ્ટી નામના ૭૫ વર્ષના વૃદ્ધ વીસીપરામાંથી બાઈકમાં જતા હતા ત્યારે પડી ગયા હોય ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના હરીપર (કેરાડા) ગામના પાટીયા પાસે કેનાલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં આશિષ અશોકભાઈ ઝિંઝવાડીયા (૨૦) રહે.રવાપર (નદી) ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાના ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા રાજેશભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News