મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી


SHARE













મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી

મોરબીનો પાડા પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને તાત્કાલિક રીપેર કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ જી. પીપરવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સાડા ત્રણ વર્ષ પહેલા ઝુલતાપુલની દુર્ઘટના બની હતી જેને મોરબીવાસીઓ ભૂલ્યા નથી ત્યા આવી બીજી કોઈ દુર્ઘટના મોરબીમાં ન બને તેની તકેદારી રાખીને મોરબીમાં આવેલ પાડા પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યાં કોઈ જાનહાનિ  થાય તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 15 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News