મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો


SHARE













મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે 16 વર્ષના સગીર બાળકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા છરી મરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સંસ્કાર હાઈટસ ખાતે રહેતા વકારઅહેમદ જાવીદભાઈ નામના 16 વર્ષના સગીરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે છરી મારવામાં આવી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે સગીર બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે અને બાળકને કોણે છરી મારી તેમજ શા માટે છરી મારવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

મહિલા સારવારમાં

મૂળ ભાવનગરના રહેવાસી નયનાબા વિક્રમસિંહ સરવૈયા (33) નામના મહિલા તેના મામા સાથે બાઈકમાં જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ડાબા પગમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા હરેશભાઈ ઝિંઝવાડીયા (30) નામનો યુવાન હળવદની મોરબી ચોકડી પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને 108 મારફતે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનને ડાબા પગમાં ફેક્ચર થયેલ હોય હાલમાં તે સારવાર હેઠળ છે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News