માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન


SHARE













મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ કારખાનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરી તેમજ સેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદાજે 32.72 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા. 7/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાની અંદર કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરીમાં તેમજ કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિરેનભાઈ હરજીવન પટેલ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગમાં થયેલ નુકસાની અંગેની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, કારખાનામાં આગ લાગવાના કારણે હેમરમીલ મશીન, બ્લેન્ડર મશીન, ફોર્મિંગ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયેલ છે તેમજ લોખંડના પતરા અને શેડમાં પણ મોટું નુકસાન થયેલ હોય કુલ મળીને 32.75 લાખથી વધુ નુકસાન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા ચંદ્રિકાબેન અજયભાઈ ગઢવી (33) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા દિનેશભાઈ જગાભાઈ વજારીયા (40) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા રામુભાઈ (30) નામના યુવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News