ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE







મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં જુદાજુદા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આગામી મહા શિવરાત્રિના દિવસે મોરબીમાં હર હર મહાદેવના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવની શોભાયાત્રાનું આયોજન કર્યું છે

મોરબીમાં સમસ્ત સતવરા સમાજ અને જય મહાકાલ સતવરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી જે રીતે મહા શિવરાત્રિના દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 15/2 ને રવિવારના રોજ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને સવારે 9 વાગ્યે શક્તિધામ મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જે જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરગતની વાડી) ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને ખાસ કરીને જય મહાકાલ સતવરા મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા તેમજ સભ્ય દયારામભાઈ દલવાડીએ જણાવ્યુ છે કે, આ શોભાયાત્રામાં સતવરા સમાજના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. તેમજ મોરબીના સમસ્ત સનાતન હિન્દુ સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.






Latest News