માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE













મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં જુદાજુદા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આગામી મહા શિવરાત્રિના દિવસે મોરબીમાં હર હર મહાદેવના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવની શોભાયાત્રાનું આયોજન કર્યું છે

મોરબીમાં સમસ્ત સતવરા સમાજ અને જય મહાકાલ સતવરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી જે રીતે મહા શિવરાત્રિના દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 15/2 ને રવિવારના રોજ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને સવારે 9 વાગ્યે શક્તિધામ મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જે જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરગતની વાડી) ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને ખાસ કરીને જય મહાકાલ સતવરા મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા તેમજ સભ્ય દયારામભાઈ દલવાડીએ જણાવ્યુ છે કે, આ શોભાયાત્રામાં સતવરા સમાજના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. તેમજ મોરબીના સમસ્ત સનાતન હિન્દુ સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.






Latest News