મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો


SHARE













માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કાંટાની વાડમાંથી આવેલ નોળિયો તે યુવાનને સાથળના ભાગે કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ યુવાન હાલમાં પરત પોતાના ઘરે જતો રહ્યો છે પરંતુ અવારનવાર આવા બનાવો બનતા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય રીતે કુતરા બચકા ભરે, ગાય બચકા ભરે, ઘોડા બચકા ભરે આવા બનાવો જુદી જુદી જગ્યાએથી અવારનવાર સામે આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં નોળીયાનો આતંક હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જશુબેન રેવાભાઇ ખીટ (71) નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું અને આ વૃદ્ધાને 6 મહિના પહેલા નોળિયો કરડી ગયો હતો જેની અસર થવાથી તેને થોડા દિવસો પહેલા સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બુધવારે સાંજના સમયે મોટાભેલા ગામે રહેતા અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા નામનો યુવાનને નોળિયો કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ યુવાન હાલમાં પોતાના ઘરે જતો રહ્યો છે વધુમાં મળતી વિગત પ્રમાણે અલ્પેશભાઈ કલોલા સાંજે તેના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાડમાંથી આવીને નોળિયાએ તેને સાથળના ભાગે બચકું ભર્યું હતું જેથી તેની પકડાને છોડાવવા માટે નોળિયાને લાતો મરવામાં આવી ત્યાર બાદ નોળિયાએ યુવાનનો પગ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માહિનામાં આ ગામમાં લોકોને નોળિયા કરડી જવાનો આ ચોથો બનાવ છે અને અગાઉ જે ત્રણ લોકોને નોળિયા કરડી ગયા હતા તેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં વધુ એક બનાવ બનતા ગામમાં મહિલાઓ, બાળકો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.








Latest News