માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE













મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામે આજે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને 23 નવદંપત્તિને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આહીર સમાજના પ્રમુખ રાણાભાઇ હુંબલ તેમજ મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓના આશીર્વાદ સાથે 23 નવદંપતીઓને પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો આટલું જ નહીં સમૂહલગ્નના આયોજન બાદ આયોજકો પાસે જે ભંડોળ વધે છે તેનો ઉપયોગ સમાજની જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને તેઓની કામગીરી માટે બિરદાવવામાં આવી હતી. જ્યારે મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં એક જ માંડવા નીચે આહીર સમાજની 100 જેટલી દીકરીઓના લગ્ન થાય ત્યારે સમૂહલગ્નનું આયોજન સફળ થયું કહેવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News