વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં ધો 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઇ હતી અને જીલ્લામાં આ વર્ષે 22870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે.

મોરબીના કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષપદે બોર્ડની પરીક્ષા ના સુચારૂ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પહેલા યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી કેબિનેટ પ્રદ્યુમ્ન વાઝાને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ  કેટલાક જિલ્લાઓના રિવ્યૂ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને સુચારૂ સંચાલન માટે તાકીદ કરી હતી.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ કુલ 17 કેન્દ્રો 85 બિલ્ડિંગ અને 803 બ્લોકમાં 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેની આંકડાકીય વિગત આપી હતી. તો ઝોનલ અધિકારી ધો 12  ભાવેશ ભાલોડિયા અને ધો 10 ના શૈલેષ મેરજાએ સીસીટીવી સહિત તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે તેની માહિતી આપી હતી

ખાસ કરીને કલેકટર કે.બી. ઝવેરીએ કહ્યુ હતુ કે, પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓને વાલીઓને થોડા વહેલા નિકળવાની અને બસમાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશપટેલે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. તો માળીયાના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે બસ વ્યવસ્થા ગોઠવવા એસટી તંત્રને સુચના આપી હતી અને અવિરત વીજ પૂરવઠા માટે વીજ તંત્રને સૂચના આપી હતી.






Latest News