મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો


SHARE







મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના હૉલ ખાતે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમાર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી વિવિધ સમસ્યાઓ, ઈ-વે બિલ (e-way bill)ને લગતી મુશ્કેલીઓ તથા જીએસટી સંબંધિત અન્ય અનેક મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. આ ચર્ચાએ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોના ઉકેલ તરફ માર્ગ મોકળો કર્યો હતો.

આ સેમિનારમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તથા પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિત એસો.ના અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ અન્ય એસો.ના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

સેમિનાર દરમિયાન ઉદ્યોગકારો તરફથી સિરામિક ટાઈલ્સ પરના જીએસટી દરને ૫ ટકા સુધી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગને લઈને અધિકારીઓને વિગતવાર માહિતી આપવામાં આવી અને ઉદ્યોગના હિતમાં તેના પર વિચારણા કરવાની વિનંતી કરી હતી. આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે, જેનાથી ઉદ્યોગકારોને જીએસટી નિયમોની વધુ સારી સમજ મળી છે અને આવનારા સમયમાં વધુ સરળતાથી કામગીરી કરી શકાશે.






Latest News