વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા

આજે શિવરાત્રીના દિવસે સમગ્ર દુનિયામાં શિવજીના મંદિરોમાં શિવજીનું પૂજન અર્ચન શિવ ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના આવેલ શક્તિધામ ખાતે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ, પરા બજાર, નગર દરવાજા, રવાપર રોડ થઈને મોટેશ્વરે મહાદેવ મંદિરે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સતવારા સમાજ ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મોરબીના માર્ગો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા






Latest News