ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા

આજે શિવરાત્રીના દિવસે સમગ્ર દુનિયામાં શિવજીના મંદિરોમાં શિવજીનું પૂજન અર્ચન શિવ ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના આવેલ શક્તિધામ ખાતે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ, પરા બજાર, નગર દરવાજા, રવાપર રોડ થઈને મોટેશ્વરે મહાદેવ મંદિરે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સતવારા સમાજ ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મોરબીના માર્ગો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા






Latest News