ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમમાં આવતી નર્મદાની કેનાલના છેડા પાસે યુવાનો ન્હાવા માટે રવિવારે બપોરે ગયા હતા ત્યારે એક સગીર ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા સગીરને શોધવા માટેની શોધખોળ કરી હતી જોકે, સગીરનો પાણીમાંથી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી રાજકોટ અને જામનગરથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ 45 કલાકે પાણીમાં ડૂબી ગયેલા સગીરના મૃતદેહને બહાર કાઢીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

મોરબીના રફાળેશ્વર ગામે મોરબીનથી સગીર સહિત કુલ ત્રણ વ્યક્તિ ગયા હતા અને ત્યાંથી પાછા આવતા સમયે મોરબીની નીલકમલ સોસાયટી જેલ રોડ ઉપર રહેતા દીપકભાઈ સોલંકીનો 17 વર્ષનો દીકરો સાહિલ અને તેની સાથે અન્ય બે યુવાન મચ્છુ-2 ડેમ પાસે આવેલ નર્મદાની કેનાલના છેડા પાસે ન્હાવા માટે ગયા હતા ત્યારે સાહિલ ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ત્યાં દોડી ગયેલ હતો અને રવિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પાણીમાંથી સગીરનો પત્તો લાગ્યો ન હતો જેથી રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ મંગળવારે સવારે 11 વાગ્યાના આસરામાં તે સગીરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આમ મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો.






Latest News