મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

તમે પોલીસને માહિતી આપીને પકડાવો છો કહીને મોટા દહીસરામાં ગાળો આપીને બાઈકમાં તોડફોડ કરનારની ધરપકડ


SHARE













તમે પોલીસને માહિતી આપીને પકડાવો છો કહીને મોટા દહીસરામાં ગાળો આપીને બાઈકમાં તોડફોડ કરનારની ધરપકડ

માળીયા (મિ) તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનના ઘર પાસે થોડા દિવસો પહેલા પાંચ શખ્સો આવ્યા હતા અને ત્યારે તેની માતા તેમજ બહેન ઘરે હતા તેને “તમે પોલીસને માહિતી આપો છો અને પકડાવો છો” તેમ કહીને તેમજ તેના ઘરની બાજુમાં આવેલ વાળાની જમીનને તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના બાઇકને નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોટા દહીસરા ગામે રહેતા મયુરભાઈ જયસુખભાઇ જોશી દ્વારા થોડા સમય પહેલા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો, ભગીરથસિંહ હેમંતસિંહ પરમાર અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે તેના માતા અને બહેન ઘરે હોય તેઓને કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપીને પકડવો છો તેમજ ઘરની બાજુમાં આવેલ વાળાની જમીન તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ લોખંડના પાઇપથી ફરિયાદી યુવાનના બાઈક ઉપર ઘા માર્યા હતા અને બાઈકમાં નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજાની ધરપકડ કરેલ છે તેમજ આ ગુનામાં હજુ પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો અને ભગીરથસિંહ હેમંતસિંહ પરમારને પકડવાના બાકી હોય તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News