ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ


SHARE













મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ

મોરબીમાં જતીન આડેસરા નામના સોની વેપારીની હત્યા કરવામાં આવી હતી તે યુવાનનું આજે બેસણું રાખવામા આવ્યું હતું અને જે વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું ત્યાંથી લઈને જે જગ્યા ઉપર યુવાની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃતક જતીન આડેસરાના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી સોની સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં કાર લઈને જતિન આડેસરા (36) નામનો યુવાન તેના પરિવારજનોની સાથે ગુરુવારે રાતે ઘરે જઇ રહ્યો હતો ત્યારે સ્કૂટરનો ઓવરટેક કરવા જેવી વાતમાં તેને છરીના ત્રણ ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું અને આ મૃતક યુવાનની આત્માની શાંતિ અર્થે આજે તેઓના પરિવારજનો દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવલે સત્યમ પાન વાળી શેરીમાં આવલે સિદ્ધિ વિનાયક વાડીએ બેસણું રાખવામાં આવ્યું હતું તેમાં રાજકીય પક્ષના આગેવાનો તેમજ મોરબીના નગરજનો સહિતના લોકો આવ્યા હતા અને જતીન આડેસરાની આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

ત્યાર બાદ સિદ્ધિવિનાયક વાડીથી લઈને મોરબીના સનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમની સામે જે જગ્યા ઉપર જતિન આડેસરાને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની એક મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઇ હતી જેમાં તમામ લોકો જોડાયા હતા અને ખાસ કરીને જતીન આડેસરાની હત્યાના ગુનામાં સંડોવાયેલા જે કોઈ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને જતીન આડેસરા અને તેના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી સોની સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News