મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત


SHARE













મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા બે યુવાનો ક્રેટા ગાડી લઈને જેતપર રાપર ગામ વચ્ચે કારખાનું ધરાવતા તેના મિત્રને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ત્યાં રસ્તામાં રોડ સાઇડમાં આવેલ તલાવડામાં ક્રેટા ગાડી ખાબકી હતી જેથી કરીને ક્રેટા ગાડીમાં બેઠેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારબાદ તેના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (34) અને ભીખાભાઈ નીતિનભાઈ તલસાણીયા (30) નામના બે યુવાનો ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 6095 લઈને જેતપર રાપર ગામ વચ્ચેથી જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ખાબકી હતી જેથી સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 108 ને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ બંને યુવાનોને જેતપર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવ ની પ્રાથમિક તપાસ કરનાર વિજયભાઈ મિયાત્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક નિલેશભાઈને મહેન્દ્રનગર ગામ પાસે કલરની દુકાન છે અને નિલેશભાઈ તેમજ ભીખાભાઈ મોરબીના મહેન્દ્રનગર ગામેથી રાપર ગામ પાસે તેમના મિત્રનું કારખાનું આવેલું છે ત્યાં તેને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં કારમાં બેઠેલા બંને યુવાનોના મોત નીપજ્યા છે






Latest News