મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા


SHARE













મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા

મોરબીમાં શનાળા રોડ ઉપર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં બંને આરોપીઓ સગીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જો કે, સગીર દ્વારા યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સગીરના કાયદામાં જરૂરી સુધારા કરીને આ કેસમાં સોની પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે

 ગુજરાત પ્રદેશ  ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં મોરબી શહેરના પોષ વિસ્તાર એવા શનાળા રોડ ઉપર સામાન્ય બાબત જેવી કે સાઈડ માટે હોર્ન મારવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને સોની યુવાનની હતી કારમાં આવેલ છે જેથી 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ ખરેખર ખુબજ ગંભીર અને વખોડવા લાયક છે. આ બનાવને તેઓએ સખ્ત શબ્દોમા વખોડી કાઢેલ છે. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓ સગીર છે. અને તે સગીર હોવાથી પોલીસ કે કોર્ટ તેની સામે કોઈ કડક પગલા કે સજા કરી શકે નહી. તેવું લોકોમા ચર્ચાઇ રહ્યું છે. આ બનાવમા આરોપીઓ સગીર છે. પરંતુ શું ? નજીવી વાતમાં યુવાનની હત્યા કરવામાં આવેલ છે અને 11 મહિનાની દીકરીએ તેના પિતાને ગુમાવ્યા છે તે વાતની ગંભીરતાને ધ્યાને લઈને સોની પરિવારને ન્યાય મળે તેમજ સમાજમાં ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકે તેવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને નિર્ભયાકાંડ બન્યા પછી મનમોહનજીની સરકાર દ્વારા કાયદામાં સુધારા કરીને પોસ્કોનો કાયદો બનવામા આવ્યો છે તે રીતે આવા કેમા પણ કડક સજા થાય તેવો કાયદો બનાવવામાં આવે અને આવું કૃત્ય કરનાર સગીર હોય તો પણ તેને કડકમા કડક સજા થાય તેવો સુધારો કાયદામાં કરવા માટેની માંગ કરી છે. અને આ માટે જો સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો મોરબીમા ઘરે ઘરેથી આવી માગણી  કરાવવા માટે મુહિમ ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News