મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળ્યા બાદ ગુનો નોધાયો


SHARE











મોરબી નજીક ચરાડવા પાસે કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળ્યા બાદ ગુનો નોધાયો

મોરબી જીલ્લામાં ચરાડવા પાસે આવેલ કેનાલમાથી હત્યા કરીને સગલવેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલિસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને મૃતકની ઓળખ મેળવવા માટે અને લાશને ફેંકી જનારા શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ અંગે હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે

હળવદના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાનની હત્યા કરીને સળગાવેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતક યુવકની ઓળખ મેળવવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતો વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીકવામાં આવેલ છે જેથી કરીને અન્ય કોઈ જગ્યાએ આ અજાણ્યા યુવાનની હત્યા કરીને તેની લાશનો નિકાલ કરવા માટે તેની લાશને કેનાલમાં સળગાવવામાં આવી હોય તેવી શક્યતા દેખાઈ રહી છે 

હળવદના પીએસઆઈ આર.બી. ટાપરિયા હાલમાં અજાણ્યો ઇશમ સામે કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા જાતે આદિવાસી (ઉ.૩૬) રહે. હાલ ચરાડવા પેટ્રોલ પંપ પાછળ વાળાની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મરણજનાર કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની કોઈ અજાણ્યા ઈશમે કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથીયારથી માથામા, કપાળ, આંખની વચ્ચે, ડાબી બાજુના ગાલના ભાગે, વાસામાં તથા જમણા ખંભા ઉપર ઘા મારી જીવલેણ ઈજા કરી હતી અને બાદમાં મરણજનારને સળગાવેલ છે જેથી હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News