મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત


SHARE













મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત

મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનને કારણે પાણી ન આવવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતી હતી જેને દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫.૫૭ કરોડના ખર્ચે નવી DI ની પાઇપલાઇન નું નેટવર્ક નાખવમાં આવશે.

વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષની (વર્ષ ૨૦૫૬ સુધીની) વસ્તી અંદાજે ૧,૦૦,૪૩૮ ને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અને પંચાસર હેડવર્સથી કુલ અંદાજે ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નાંખવામાં આવશે જેમાં જુદા જુદા વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. જેથી લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ પ્રોજેક્ટની કામગીરી શરુ થઇ ગયેલ છે અને ૨.૩ કિમી લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરેલ છે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્લુઈસ વાલ્વ નાખવામાં આવશે જેથી પાણી પુરતા ફોર્સથી અને પુરતા જથ્થામાં લોકોને મળી રહેશે. અને રહેણાક વિસ્તારામાં વ્યક્તિદીઠ ૧૩૫ લિટર (LPCD), કામશિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત મુજબ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પંચાસર વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક જુનું થઇ ગયેલ હોવાથી તેમજ વસ્તી વધારાના કારણે છવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કલાકો સુધી પમ્પિંગ કરવું પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આ નવી યોજનાથી દરેક ઘરને પૂરતા અને સુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણ સાથે નિયમિત પાણી મળી રહેશે.






Latest News